Tuesday, February 1, 2011

ખલીલ ધનતેજવી


સ્થિર જળ સાથે અટકચાળા ન કર 
કાંકરા   નાખીને   કુંડાળા   ન  કર
 
લોક   દિવાળી  ભલે   ને     ઉજવે
પેટ  બાળીને તું  અજવાળા ન કર
 
આજથી ગણ આવનારી કાલને
પાછલા વરસોના સરવાળા ન કર
 
ક્યાંક પથ્થર  ફેંકવાનું  મન    થશે
ઈંટને    તોડીને    ઢેખાળા  ન  કર
 
થઇ  શકે  તો   રૂબરૂ  આવીને  મળ
ઊંઘમાં  આવીને  ગોટાળા  ન  કર
 
છે     કવિતાઓ   બધી   મોઢે      મને
મારી મિલકતના તું   રખવાલા  ન  કર

No comments:

Post a Comment