Saturday, May 21, 2011

ગઝલ - રાજ લખતરવી


અમે તો ક્યારના ડૂબી ગયા તો આ તારે છે શું?
અમારી નાવ છે  કે લાશ છે, આ આખરે છે શું?

વસાવ્યો છે અમે સૂરજ દિવસ ને રાત આંખોમાં,
છતાંયે આ  સિતારા  જેવું  આંખોથી ખરે  છે શું?

પથારીથી નથી ઊઠતો કડી મારો ય પડછાયો,
છતાંયે ઓરડામાં રાત આખી આ ફરે છે શું?

ફરીને ત્યાં જ આવું છું યુગોથી આમ અટકું છું,
નથી સમજાતું મુજને એજ, એના ઉંબરે  છે શું?

જવા દેતું નથી એ  બહાર  ફરવા પ્રાણ ને મારા,
ખબર પડતી નથી કંઈ 'રાજ' અને આંતરે છે શું?

No comments:

Post a Comment