Showing posts with label લેખ. Show all posts
Showing posts with label લેખ. Show all posts

Thursday, January 13, 2011

મકર સંક્રાંતિ (સંકલન)

                  હિંદુ ધર્મમાં પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. મકરસંક્રાંતિના પર્વને હંમેશાં ૧૪મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે તેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર સામાજિક સમરસતાનું પર્વ છે. આખા ભારતમાં આ તહેવારને જુદી-જુદી પરંતુ અનોખી રીતે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં તેને મકરસંક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. આસામમાં તેને હિબૂના નામથી ઓળખવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં લોહડી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડુ અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંકરાત, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે.
                  સંક્રાંતિ કાળના મુખ્ય ત્રણ દેવતા છે. પહેલાં છે ભગવાન સૂર્ય, બીજા છે શિવજી અને ત્રીજા છે ધન રાશિના સ્વામી દેવોના ગુરુ બૃહસ્પતિ. લક્ષ્મી પ્રાપ્તિ તથા રોગોના નાશ માટે ભગવાન સૂર્ય, વિપત્તિઓ તથા શત્રુના નાશ માટે ભગવાન શિવ. યશ-સન્માન તથા જ્ઞાન, વિદ્યા વગેરેની પ્રાપ્તિ માટે દેવગુરુ બૃહસ્પતિની પૂજા સંક્રાંતિ કાળમાં ક્રમ મુજબ વિધિ-વિધાનપૂર્વક કરવી જોઈએ.
                  મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરવામાં આવે છે.  ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાં આવે છે.
આ ઉત્સવ આપણાં જીવનને   સુખના  રંગોથી ભરી દે એવી શુભકામનાઓ.